Showing posts with label india. Show all posts
Showing posts with label india. Show all posts

Friday, June 12, 2015

મારી પાસે જાદુઈ લાકડી નથી

હેલ્લો સૌપ્રથમ તો વધારે લેટ કમવા(come) બદલ માફી માંગુ છું (શેની માફી? મારો બ્લોગ છે હું ગમે ત્યારે કમુ) ઓકે તો "મારી પાસે જાદુઈ લાકડી નથી" આ મારા પિતાશ્રી નું વાક્ય છે. ઉભા રહો થોડી રાહ જુવો બધું સમજાવું છું. જ્ઞાન આપવા જ આવ્યો છું. (જે સમજો તે)

એટલે કહેવાનો મતલબ એમ કે મારા પપ્પા એક શિક્ષક છે તો એમને વાલી આવી ને સલાહ સુચન કરે એમના લાડકા/લાડકી વિષે. મારા બાબા ને સારું ભણાવજો એને આ ફલાણું, ઢીંકણું, સીખવાડજો, એને વર્ષ ના અંત સુધી માં આટલું તો આવડવું જ જોઈએ. મારા પપ્પા થી એ સમયે તો  હા એ હા જ કરવું પડે. પણ પછી એમનું આ વાક્ય હોય "મારી પાસે તો જાદુઈ લાકડી છે? તો હું આમ ફેરવી દઈસ તો આવડી જશે?"

ઘણી વખત આપણી સાથે આવું થાય છે કે આપણા "Well Wishers" (સબંધી અને મિત્રો) એવું કામ સોંપી દે જે આપણે ના કરી સકતા હોય, અને એમને એવું લાગે કે આ કામ તો આપણા થી ચપટી વગાડતા થઇ જશે.

લાઈવ ઉદાહરણ વિરાટ કોહલી ને જ જોઈ શકીએ, અરે યાર વિરાટ કોહલી નું નામ આવતા જ અનુષ્કા શર્મા ને કેમ યાદ કરો છો? હું એમ કહી રહ્યો છું કે એને ટેસ્ટ કેપ્ટન્સી આપી દીધી (કે પછી થોપી બેસાડી) એની પાસે થી બધા જ ક્રિકેટ પ્રેમીઓ મસમોટી આશા રાખી ને બેઠા છે. અને જો એવું નાં પણ હોય તો એવી વાતો કરનારા છે જયારે ટેસ્ટ માં ભારત કદાચ હારી જાય (એક ક્રિકેટ પ્રેમી તરીકે હું નથી ઈચ્છતો કે આવું બને ) તો એ બધા પાછળ જવાબદાર ફક્ત વિરાટ કોહલી જ છે, આવું સાંભળીએ તો નવાઈ નહિ. અરે યાર એક કેપ્ટન તરીકે એની પાસે પહેલા થી જ ઘણી જવાબદારી છે. (બેટિંગ લાઈનઅપ, બોલીંગ એટેક, પ્લેઇંગ ઈલેવન, અને પોતાનું ફોર્મ) તો આ સાથે સાથે કદાચ એ જીત ન પણ અપાવી સકે તો એને જવાબદાર ગણવો એ મુર્ખામી ભર્યું છે.

જે લોકો સાંજે 8.00 વાગ્યા પછી ઘરની બહાર પણ નીકળતા નથી એ લોકો ટેસ્ટ કેમ હાર્યા અને કોને કારણે હાર્યા એની એવી વાતો કરશે જેમ એમણે તો phd કરી હોય. મૂળ વાત એ છે કે આવી પરિસ્થિતિ આપણા પોતાના પર થોપી દેવામાં આવે જબરદસ્તી થી અને જયારે એ કામ સફળતાપૂર્વક પતિ જાય તો વાહ વાહી મળે ના મળે એ વાત પછી આવે, પણ અગર જો આપણે એ કામ ના કરી શક્યા તો જાણે કે આ પૃથ્વી પર એમનું એ કામ કરવા માટે જ જન્મ લીધો હોય એ રીતે અનુભવતા હોઈએ છીએ (બધા ની વાત નથી કરતો)

"Do or die, there is no try" "જો ભાઈ આટલું કામ કરી દે, કરવું જ પડશે, તારા થી તો થઇ જ જાય યાર, તું તો માસ્ટર છે" આવા વાક્યો બોલે ત્યારે ખરેખર થઇ જાય કે માખણ એકદમ સસ્તું થઇ ગયું છે. આ વાતો કામ આપે ત્યારે થાય , અને જો ના થાય તો એમાં આપણે અસફળ રહીએ ત્યારે ..... કદાચ તમને અનુભવ હશે કે કેવા વાકબાણ નીકળતા હોય! મફત ની સિગારેટ્સ ફૂંકનારા આપણને સમજાવે કે કઈ રીતે કામ થાય.

તો આવી પરિસ્થિતિ માં શું કરી શકીએ એ આપણે જાતે જ વિચારી લઈએ? (બધુ મારે જ સમજાવાનું??) તો મળીએ આવતી પોસ્ટ માં આ જ બ્લોગ પર, ત્યાં સુધી Well Wishers નું કામ પતાવતા રહો. 

આ પોસ્ટ નું જમા પાસું :- આ બધા મારા જ વિચાર છે અને અનુભવ થી લખેલું છે.
અને નબળું પાસું :- આ બધા મારા જ વિચાર છે અને મને વિચારતા નથી આવડતું.


લબૂક :- 
"જો બકા થશે એટલું કરીશ, 
ખોટા વચન માં બંધાવાનું આપણને નહિ ફાવે"




Thursday, August 21, 2014

૧૫ મી ઓગસ્ટ અને જન્માષ્ટમી - 2014

બોસ શું માહોલ હતો ગજબ નો !! અરે જ્યાં જુઓ ત્યાં ભારત ના જ તિરંગા ( મતલબ વોટ્સએપ અને સોસીઅલ મીડિયા માં ). સ્વાતંત્ર દિવસે તો સવારે વહેલો જ ઉઠી ગયો, પછી વીરુ ના ઘરે જઈને એને પણ જગાડ્યો પછી ગયા સીધ્ધા વહેલાલ ( ધ્વજવંદન કરવા ) . શું યાર અડધું તો પતિ ગયું હતું , પણ જેવું રાષ્ટ્રગીત ચાલુ થયું અને સ્કાઉટ વાળા ધમ-ધમ મંડી પડ્યા અને મારા તો રુંવાડા ઉભા થઇ ગયા (સાચે જ યાર) , સાલું આવું પહેલા જયારે સ્કુલ માં હતા ત્યારે નહતું થતું. ત્યારબાદ બધા જ મેડમ અને સર ને મળ્યા, થોડી વાતો ની વાત કરી અને થોડી યાદો ને યાદ કરી. ઘરે આવીને મેક્ષ પર લગે રહો મુન્નાભાઈ મુવી ચાલતું હતું એ જોયું.

મિત્ર સાચું કઉં ને તો એટલા બધા વિચારો આવ્યા ને કે સાલું મુન્નાભાઈ જેવા કેમિકલ લોચા આપણા માઈન્ડ માં કેમ નથી થતા ? મને બધું જ ખબર હોવા છતાં હું કેમ કોઈ લક્કી જેવાને "Get Well Soon" નથી કહી શકતો ? મારા હક નું પણ મારે મેળવવા માટે સહન કેમ કરવું પડે છે ?

હું જન્માષ્ટમી ના દિવસે અમદાવાદ ભાવ-નિર્જર શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવા આવ્યો હતો, ત્યાં આખા દિવસ દરમિયાન ખુબ જ શીખ્યો, ખુબ જ મજા આવી, કંઈક સારું જોવા, શીખવા મળ્યું. શ્રી કૃષ્ણ નું જે ચરિત્ર હતું એ પર થી જેટલું શીખી શકીએ એટલું ઓછું. વિશ્વ ના સૌથી મોટા ફિલોસોફર નું પુસ્તક ( બુક ) હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ મહાભારત નો એક ભાગ એટલે "શ્રીમદભગવદગીતા" માં ભગવાને પોતે આપણને જીવન ના બધા જ પ્રોબ્લેમ ના સોલ્યુસન્સ આપ્યા આવા શ્રીકૃષ્ણ નું વર્તમાન સમય માં કેટલું માન?

મારી આગળ ની પોસ્ટ માં પણ ભક્તિ વિષે સમજણ પાકી કરી હતી. હાલ જુગાર રમવો એ  જ જન્માષ્ટમી અને ભારત ના તિરંગા જોવા અને બતાવવા એ જ સ્વાતંત્ર દિવસ ? ભાઈ દેવાંગ પટેલ પેલા "જલસા કર બાપુ જલસા કર" ગીત ના રચયિતા એમણે એમના સોંગ માં બધી જ નાની નાની વાતો વર્ણવી છે, જે સાંભળતા જ હાસ્ય છૂટી જાય પણ જલસા કરતા કરતા કઈ રીતે આપણી આ કુટેવો દુર કરી શકીએ એ જ આપણે સમજવાનું છે.

પણ કૃષ્ણકાંત ઉનડકટે યંગસ્ટર્સ ને પ્રોત્સાહન આપ્યું છે. ન્યુઝ માં મેં વાંચ્યું આમનો એક આર્ટીકલ હતો 15 મી ઓગસ્ટ ના દિવસે, જેમાં દુનિયા માં સૌથી વધારે યુથ ધરાવનાર દેશ ભારત માં યંગસ્ટર્સ પોતાના કામ અને ધ્યેય માટે વેલ ફોકસ્ડ છે. વાત પણ સાચી જ છે. 2014 માં ભારત નું રાજકારણ બદલવામાં સૌથી મોટું યોગદાન યુથ નું છે, અને આઈટી ક્ષેત્ર ને એકલા હાથે ધમ-ધમાવનાર આ યંગસ્ટર્સ જ છે. પણ પ્રત્યેક દિવસે ભક્તિ અને દેશભક્તિ હોવી જરૂરી છે. નઈ કે ફક્ત ઈન્ડીપેન્ડેસ અને જન્માષ્ટમી નાં દિવસે જ.


લબૂક :- 
"ચલ થઈએ ફના દેશ માટે હું અને તું,
જેમ થાય ફના ચાલુ બાઈક પર જીવ-જંતુ"

Monday, February 10, 2014

ભ ભ્રષ્ટાચારનો ભ.....

મણા થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટ નેતા ઓ ની યાદી બનાવી. તો એના પર થી કૈક ભ્રષ્ટાચાર પર લખવાની ઈચ્છા થાય છે.

ભ્રષ્ટાચાર શબ્દ સંભળાતા જ દેશ ના નેતાઓ , રાજકારણીઓ યાદ આવે. યાર આવું ના ચાલે આપણું નામ ક્યારે આવશે? આપણે પણ ભ્રષ્ટાચાર કરવામાં ક્યાં પાછા પડીએ છીએ. (વિચારી લો)
બે સવાલ કરું જવાબ આપો તો..

1. લોકશાહી એટલે શું?
2. ભ્રષ્ટાચાર એટલે શું?

(જો આ બે સવાલના જવાબ વિસ્તાર માં આપો તો તમે કાંતો નેતા કાંતો કવિ.)

ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ + આચાર.

આઝાદ થયા ને આટલા વર્ષ સુધી પણ લોકશાહી સાચા અર્થ માં પ્રસ્થાપિત નથી થઇ. આનું કારણ શું? ભ્રષ્ટ નેતા ઓ કે પછી આપણે?

 "who is responsible for such an rampant corruption and intense price rise?"

ચાલો બન્ને વિષે વિચારી લઈએ.

1. વોટ માંગી ને નોટ સંતાડનારા ભ્રષ્ટ નેતા ઓ પોતા ના ખિસ્સા ભરી ને એમ જ કહે કે અમે ભ્રષ્ટાચાર હટાવીશું. કૌભાંડ કરી ને સ્વીસ બેંક ભરનારા નેતાઓ. સામાન્ય જનતા ને ખોટે ખોટા આશ્વાશન  આપવા માટે લાખો  ના ખર્ચ કરીને સત્તા પર બેસવાવાળા આ નેતાઓ. કે જેને લાંચ રિશ્વત સિવાય કઈ દેખાતું જ નથી. "જે કરવું હોય તે કરો પણ આપણા 50 % રાખો" કહેવાવાળા આ નેતાઓ ભારત દેશ ને વિકાશશીલ  દેશ જ  કહેવડાવશે. વિકસીત દેશ માટે હજુ કેટલા જન્મો લાગી શકે? નેતા આવા કામ કરી ને ભ્રષ્ટાચાર ના ભાઈઓ (મોંઘવારી, ગરીબી, બેરોજગારી, બેઈમાની) ને પણ બળવાન બનાવે છે . આ  લોકો ફક્ત અન્ના ના અનસન થી જ ડરે છે?

2.  ભ્રષ્ટાચાર હટાવવાની શરુઆત પોતાના થી જ થવી જોઈએ કેમ કે જેટલા જવાબદાર આ નેતા ઓ છે એટલા જ જવાબદાર આપણે પણ છીએ. Removal of corruption from the beginning itself.
એક નાની સ્ટોરી કઉ.

                      "એક ગામમાં એક કુલ્ફી વાળો રોજ બાળકો ને કુલ્ફી આપીને રાજી કરતો. એનું ગુજરાન બાળકો પર ચાલતું અને બાળકો પણ એની જ રાહ જોતા. પણ અમુક સરારતી લોકો જયારે કુલ્ફી વાળા નું ધ્યાન ભટકતું ત્યારે એમાંથી કુલ્ફી કાઢી લેતા. આ વાત એને પણ ખબર હતી પણ એ રંગે હાથે નૈ પકડી શકતો હોવાથી એ ચુપ જ રહેતો. એક દિવસ એને કુલ્ફી ના ડબ્બા માં હાથ હતો તેને પકડી લીધો અને પછી જોર જોર થી એને વઢવા લાગ્યો. પણ આનો લાભ ઉઠાવી ને બીજા લોકોએ બીજી વધારે કુલ્ફી લઇ લીધી. આવું દરરોજ થતા એને ડર લાગ્યો કે એક દિવસ મારી બધી જ કુલ્ફી ચોરાઈ જશે આ વિચારી ને એણે પોતે જ જેટલી હાથ માં આવી એટલી લુંટી લીધી."

આવું આપણે કઈ જગ્યાએ કરીએ છીએ.

* મંદિર માં દર્શન માટે....
* શાળા-કોલેજીસ કે હોસ્પિટલ માં પ્રવેશ માટે...
* ટ્રેન માં રીઝર્વેસન માટે...
* રાસન કાર્ડ , લાઇસન્સ કે પાસપોર્ટ માટે...
* નોકરી માટે...
* રેડ લાઈટ પર ચલાન થી બચવા માટે...
* મુકદ્દમો જીતવા કે હારવા માટે...
* ખાવા માટે... પીવા માટે...

હદ તો ત્યાં છે કે ભ્રષ્ટાચાર પોતાના સંતાન ને શીખવીએ છીએ. " 99 % मार्क्स लाओगे तो घड़ी  वर्ना छड़ी".
અરે જો ભારત માંથી ભ્રષ્ટાચાર જાય ને તો તાલીબાન આતંકવાદ છોડવા ની સપથ લઇ લે.