Thursday, August 21, 2014

૧૫ મી ઓગસ્ટ અને જન્માષ્ટમી - 2014

બોસ શું માહોલ હતો ગજબ નો !! અરે જ્યાં જુઓ ત્યાં ભારત ના જ તિરંગા ( મતલબ વોટ્સએપ અને સોસીઅલ મીડિયા માં ). સ્વાતંત્ર દિવસે તો સવારે વહેલો જ ઉઠી ગયો, પછી વીરુ ના ઘરે જઈને એને પણ જગાડ્યો પછી ગયા સીધ્ધા વહેલાલ ( ધ્વજવંદન કરવા ) . શું યાર અડધું તો પતિ ગયું હતું , પણ જેવું રાષ્ટ્રગીત ચાલુ થયું અને સ્કાઉટ વાળા ધમ-ધમ મંડી પડ્યા અને મારા તો રુંવાડા ઉભા થઇ ગયા (સાચે જ યાર) , સાલું આવું પહેલા જયારે સ્કુલ માં હતા ત્યારે નહતું થતું. ત્યારબાદ બધા જ મેડમ અને સર ને મળ્યા, થોડી વાતો ની વાત કરી અને થોડી યાદો ને યાદ કરી. ઘરે આવીને મેક્ષ પર લગે રહો મુન્નાભાઈ મુવી ચાલતું હતું એ જોયું.

મિત્ર સાચું કઉં ને તો એટલા બધા વિચારો આવ્યા ને કે સાલું મુન્નાભાઈ જેવા કેમિકલ લોચા આપણા માઈન્ડ માં કેમ નથી થતા ? મને બધું જ ખબર હોવા છતાં હું કેમ કોઈ લક્કી જેવાને "Get Well Soon" નથી કહી શકતો ? મારા હક નું પણ મારે મેળવવા માટે સહન કેમ કરવું પડે છે ?

હું જન્માષ્ટમી ના દિવસે અમદાવાદ ભાવ-નિર્જર શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવવા આવ્યો હતો, ત્યાં આખા દિવસ દરમિયાન ખુબ જ શીખ્યો, ખુબ જ મજા આવી, કંઈક સારું જોવા, શીખવા મળ્યું. શ્રી કૃષ્ણ નું જે ચરિત્ર હતું એ પર થી જેટલું શીખી શકીએ એટલું ઓછું. વિશ્વ ના સૌથી મોટા ફિલોસોફર નું પુસ્તક ( બુક ) હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ મહાભારત નો એક ભાગ એટલે "શ્રીમદભગવદગીતા" માં ભગવાને પોતે આપણને જીવન ના બધા જ પ્રોબ્લેમ ના સોલ્યુસન્સ આપ્યા આવા શ્રીકૃષ્ણ નું વર્તમાન સમય માં કેટલું માન?

મારી આગળ ની પોસ્ટ માં પણ ભક્તિ વિષે સમજણ પાકી કરી હતી. હાલ જુગાર રમવો એ  જ જન્માષ્ટમી અને ભારત ના તિરંગા જોવા અને બતાવવા એ જ સ્વાતંત્ર દિવસ ? ભાઈ દેવાંગ પટેલ પેલા "જલસા કર બાપુ જલસા કર" ગીત ના રચયિતા એમણે એમના સોંગ માં બધી જ નાની નાની વાતો વર્ણવી છે, જે સાંભળતા જ હાસ્ય છૂટી જાય પણ જલસા કરતા કરતા કઈ રીતે આપણી આ કુટેવો દુર કરી શકીએ એ જ આપણે સમજવાનું છે.

પણ કૃષ્ણકાંત ઉનડકટે યંગસ્ટર્સ ને પ્રોત્સાહન આપ્યું છે. ન્યુઝ માં મેં વાંચ્યું આમનો એક આર્ટીકલ હતો 15 મી ઓગસ્ટ ના દિવસે, જેમાં દુનિયા માં સૌથી વધારે યુથ ધરાવનાર દેશ ભારત માં યંગસ્ટર્સ પોતાના કામ અને ધ્યેય માટે વેલ ફોકસ્ડ છે. વાત પણ સાચી જ છે. 2014 માં ભારત નું રાજકારણ બદલવામાં સૌથી મોટું યોગદાન યુથ નું છે, અને આઈટી ક્ષેત્ર ને એકલા હાથે ધમ-ધમાવનાર આ યંગસ્ટર્સ જ છે. પણ પ્રત્યેક દિવસે ભક્તિ અને દેશભક્તિ હોવી જરૂરી છે. નઈ કે ફક્ત ઈન્ડીપેન્ડેસ અને જન્માષ્ટમી નાં દિવસે જ.


લબૂક :- 
"ચલ થઈએ ફના દેશ માટે હું અને તું,
જેમ થાય ફના ચાલુ બાઈક પર જીવ-જંતુ"

No comments:

Post a Comment