Friday, June 12, 2015

મારી પાસે જાદુઈ લાકડી નથી

હેલ્લો સૌપ્રથમ તો વધારે લેટ કમવા(come) બદલ માફી માંગુ છું (શેની માફી? મારો બ્લોગ છે હું ગમે ત્યારે કમુ) ઓકે તો "મારી પાસે જાદુઈ લાકડી નથી" આ મારા પિતાશ્રી નું વાક્ય છે. ઉભા રહો થોડી રાહ જુવો બધું સમજાવું છું. જ્ઞાન આપવા જ આવ્યો છું. (જે સમજો તે)

એટલે કહેવાનો મતલબ એમ કે મારા પપ્પા એક શિક્ષક છે તો એમને વાલી આવી ને સલાહ સુચન કરે એમના લાડકા/લાડકી વિષે. મારા બાબા ને સારું ભણાવજો એને આ ફલાણું, ઢીંકણું, સીખવાડજો, એને વર્ષ ના અંત સુધી માં આટલું તો આવડવું જ જોઈએ. મારા પપ્પા થી એ સમયે તો  હા એ હા જ કરવું પડે. પણ પછી એમનું આ વાક્ય હોય "મારી પાસે તો જાદુઈ લાકડી છે? તો હું આમ ફેરવી દઈસ તો આવડી જશે?"

ઘણી વખત આપણી સાથે આવું થાય છે કે આપણા "Well Wishers" (સબંધી અને મિત્રો) એવું કામ સોંપી દે જે આપણે ના કરી સકતા હોય, અને એમને એવું લાગે કે આ કામ તો આપણા થી ચપટી વગાડતા થઇ જશે.

લાઈવ ઉદાહરણ વિરાટ કોહલી ને જ જોઈ શકીએ, અરે યાર વિરાટ કોહલી નું નામ આવતા જ અનુષ્કા શર્મા ને કેમ યાદ કરો છો? હું એમ કહી રહ્યો છું કે એને ટેસ્ટ કેપ્ટન્સી આપી દીધી (કે પછી થોપી બેસાડી) એની પાસે થી બધા જ ક્રિકેટ પ્રેમીઓ મસમોટી આશા રાખી ને બેઠા છે. અને જો એવું નાં પણ હોય તો એવી વાતો કરનારા છે જયારે ટેસ્ટ માં ભારત કદાચ હારી જાય (એક ક્રિકેટ પ્રેમી તરીકે હું નથી ઈચ્છતો કે આવું બને ) તો એ બધા પાછળ જવાબદાર ફક્ત વિરાટ કોહલી જ છે, આવું સાંભળીએ તો નવાઈ નહિ. અરે યાર એક કેપ્ટન તરીકે એની પાસે પહેલા થી જ ઘણી જવાબદારી છે. (બેટિંગ લાઈનઅપ, બોલીંગ એટેક, પ્લેઇંગ ઈલેવન, અને પોતાનું ફોર્મ) તો આ સાથે સાથે કદાચ એ જીત ન પણ અપાવી સકે તો એને જવાબદાર ગણવો એ મુર્ખામી ભર્યું છે.

જે લોકો સાંજે 8.00 વાગ્યા પછી ઘરની બહાર પણ નીકળતા નથી એ લોકો ટેસ્ટ કેમ હાર્યા અને કોને કારણે હાર્યા એની એવી વાતો કરશે જેમ એમણે તો phd કરી હોય. મૂળ વાત એ છે કે આવી પરિસ્થિતિ આપણા પોતાના પર થોપી દેવામાં આવે જબરદસ્તી થી અને જયારે એ કામ સફળતાપૂર્વક પતિ જાય તો વાહ વાહી મળે ના મળે એ વાત પછી આવે, પણ અગર જો આપણે એ કામ ના કરી શક્યા તો જાણે કે આ પૃથ્વી પર એમનું એ કામ કરવા માટે જ જન્મ લીધો હોય એ રીતે અનુભવતા હોઈએ છીએ (બધા ની વાત નથી કરતો)

"Do or die, there is no try" "જો ભાઈ આટલું કામ કરી દે, કરવું જ પડશે, તારા થી તો થઇ જ જાય યાર, તું તો માસ્ટર છે" આવા વાક્યો બોલે ત્યારે ખરેખર થઇ જાય કે માખણ એકદમ સસ્તું થઇ ગયું છે. આ વાતો કામ આપે ત્યારે થાય , અને જો ના થાય તો એમાં આપણે અસફળ રહીએ ત્યારે ..... કદાચ તમને અનુભવ હશે કે કેવા વાકબાણ નીકળતા હોય! મફત ની સિગારેટ્સ ફૂંકનારા આપણને સમજાવે કે કઈ રીતે કામ થાય.

તો આવી પરિસ્થિતિ માં શું કરી શકીએ એ આપણે જાતે જ વિચારી લઈએ? (બધુ મારે જ સમજાવાનું??) તો મળીએ આવતી પોસ્ટ માં આ જ બ્લોગ પર, ત્યાં સુધી Well Wishers નું કામ પતાવતા રહો. 

આ પોસ્ટ નું જમા પાસું :- આ બધા મારા જ વિચાર છે અને અનુભવ થી લખેલું છે.
અને નબળું પાસું :- આ બધા મારા જ વિચાર છે અને મને વિચારતા નથી આવડતું.


લબૂક :- 
"જો બકા થશે એટલું કરીશ, 
ખોટા વચન માં બંધાવાનું આપણને નહિ ફાવે"