Friday, August 28, 2015

ફર્ક તો પડતા હૈ - બધા જ પોતાની રીતે સાચા હોય છે


"ફર્ક તો પડતા હૈ" તત્કાલીન ધોરણે બનાવવામાં આવેલું શીર્ષક. કેમ, સાચી વાત ને? અરે હા, વાત તો  કરી જ નઈ કે કઈ વાત માં ફર્ક પડે? ઓકે તો જણાવી દઉં કે શું વાત છે. માની લો કે ગુજરાત માં કોઈ એક જ્ઞાતિ  માંગણી કરે છે અને એના માટે પોતાની રીતે મેદાને ચડી જાય સરકાર સામે અને એ પણ એક અલગ જ રસ્તો અપનાવે "આંદોલન" નો કે જે એમણે બધી જ કોશિશ કર્યા પછી અંતે અપનાવવો જોઈતો હતો (As i think).

હવે તમે સમજી ગયા હસો કે હું કઈ વાત કરી રહ્યો છું. (એમ તો તમે સમજદાર જ છો) આમાં બીજા ઘણા લોકો (OBC, SC, ST) કે પછી ખુદ જનરલ કેટેગરી વાળા પણ એમ વિચારતા હતા કે જે કઈ પણ કર્યું તે ખોટું કર્યું. હા તો છેલા 13 વર્ષ થી જેનું નામ સુધ્ધા પણ ગુજરાત માં નહતું લેવાયું એવો શબ્દ "Curfew" આપણને સાંભળવા મળ્યું (All credit goes to Andolan???) 

25 ઓગસ્ટ 2015 ના રોજ ફક્ત 12 કલાક માં જ 18 લાખ માણસો, લાઠીચાર્જ, ધરપકડ, હુમલો, પથ્થરમારો, ભય અને શાંતિ, નુકશાન અને લાભ, છેવટે અમુક જગ્યા પર લોકો ને અમુક સમય માટે ઘર માંથી બહાર ના નીકળવાનો આદેશ. અને આવા સમય માં જે એમ કહે કે અમને શું ફર્ક પડવાનો? "ફર્ક તો પડતા હૈ"

હવે જાણકાર, સમજદાર, નામદાર અને અનુભવી લોકોએ પોતાની રીતે બધું જ વિચારી લીધું, અલગ અલગ રીતે માપીએ તો માથાદીઠ 20 GB જેટલું વિચાર્યું જ હશે. અને એમાંથી 90% કોમન વિચારો. એ પણ સચોટ ઉદાહરણ સાથે :P (જેમ કે રાજકારણ હોઈ  શકે)

પણ .... પણ ... પણ ફક્ત વિચાર્યું જ, અને બધા ને લાગે છે કે આમ હોવું જોઈએ અને આમ ના હોવું જોઈએ?? (બધા માં હું અને તમે પણ સામેલ જ છીએ)

વાત તો ત્યાં સુધી મળી કે 10 હજાર કરોડ રૂપિયા સુધી નું નુકશાન ગુજરાત ને થયું (વ્યવસાય, નોકરી-ધંધા, દુકાન, ઓફીસ 3 દિવસ સુધી બંધ રહેવાના કારણે) તો આપણને કઈ ફર્ક ન પડ્યો? "ફર્ક તો પડતા હૈ" 

પણ .... પણ ... પણ આપણે કંઈ કેમ ના કરી શક્યા? અને આપણે શું કરી શકીએ હવે થી? 
પણ .... પણ ... પણ આવું વિચારે કોણ? બોલવું તો એટલું જ છે કે અમને શું ફર્ક પડવાનો છે? તો ફરીથી એક જ વાત સામે આવે "ફર્ક તો પડતા હૈ"


જે બધી વાતો છે તે બધી તમારી અને મારી સામે જ છે. હવે એટલું તો વિચારીએ કે આવા સમયે મારે શું કરવાનું? કઈ નથી ધ્યાન માં આવતું? તો હવે વિચાર પણ મારે સજેસ્ટ કરવાનો તમને? એક કહેવત છે ને ગુજરાતી માં "સારું ના કરી શકીએ તો ખરાબ તો ના જ કરીએ" એટલે કહેવાનો અર્થ એટલો જ કે  અફવાહ ફેલાવવામાં કે પછી તોફાનમાં આપણે ભાગીદાર ના થઈએ એટલું સારું અને સરકાર કે પોલીસ ને  સહકાર આપીએ એટલું તો કરી જ શકીએ ને? હું તો આટલું જ વિચારી શકીશ (નાનો છું ને હજી એટલે).
તમે કંઈ વધારે વિચારતા હોય તો કમેન્ટ્સ આવકાર્ય છે.

"બધા જ પોતાની રીતે સાચા હોય છે"

લબૂક : - 

"જબતક તોડેંગે નહિ તબતક છોડેંગે નહિ,
 આવું કહેવાવાળા બધા માન્જી નથી હોતા"

નોંધ :- આ પોસ્ટ થી કોઈ પણ વ્યક્તિ કે સમુદાય ની લાગણી દુભાવવાનો ઈરાદો નથી, મહેરબાની કરીને કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહિ.