Thursday, January 29, 2015

ધર્મ ના નામ પર ઢીશુમ ઢીશુમ

ના ભાઈ ના કોઈ જ ઝગડા વિષે નથી લખવાનું. આઈ એમ તો પેલ્લે થી જ સીધા-સાદા. આપણે તો ઝગડો કરવાનો ખરો પણ એનું વર્ણન નઈ કરવાનું, ખાઈને સુઈ જવાનું અને મારી ને ભાગી જવાનું,  "શું ક વાંક માં ના આઇએ, હમજ્યા?"

પણ મેઈન પોઈન્ટ એ વાત નો છે કે બેબી મુવી જોતો હતો, અડધું જોયું અને અડધું આજે જોઇસ ( મોબાઈલ માં છે ને એટલે ) આ પીકે પણ જોયું, લોકો કહે છે કે પીકે વિવાદ માં સપડાઈ છે અને આ મુવી એ ધાર્મિક લાગણી દુભાવી છે. ( હકીકત માં ધાર્મિક લાગણી અને વિવાદ શબ્દ વિષે હું નથી જાણતો ) ભલા માણસ એક વાર પીકે જુઓ ફક્ત સત્ય સામે આવ્યું છે. ઓહ માય ગોડ જેમ જ લોકો ને ભગવાન વિષે જાગૃત કરે છે. પણ આપણા સમાજ માં જ હિંદુ અને મુસ્લિમ ના મોટા ઝગડા ચાલે એને કઈ રીતે શાંત કરવા? ઉપર થી આવો મોટોમસ પ્રયત્ન સમાજ પર "પડેલા પર પાટું" જેવું થાય.

પણ આપણે સમજીએ અને સમજાવીએ કે ધર્મ બાબતે બબાલ ના જોઈએ, બાઈબલ કુરાન અને ગીતા માં બીજા કોઈ ધર્મ વિષે નથી જ લખ્યું ને. ફક્ત જીવન વિકાસ ની વાત જ વાંચવા મળે. એમ.એસ.જી. મુવી પણ થોડું ઘણું ચગી ગયેલું પણ આવું કહેવા પાછળ નો હેતુ બસ રેકોર્ડ્સ કે પૈસા જ નથી હોતા. થોડા-ઘણા સમજદાર બનો અને બીજા કે આપણા કોઈ પણ ધર્મ વિષે કમેન્ટ્સ કરવાનું છોડો. ( જાગો બધા જાગો )

શ્રી કૃષ્ણ અને મોહમ્મદ પયગંબર સાહેબ બંને એ ધાર્મિક ગ્રંથ માં આપણા વિષે જ કહ્યું છે કે કઈ પરિસ્થિતિ માં કયા સમયે કઈ રીતે કર્મ કરવું? બંને વિષે ખાસ વાત જે મને ધ્યાન માં છે

1) શ્રીમદ ભગવદગીતા એક માત્ર એવો ગ્રંથ છે જે ભગવાને જાતે કહેલો છે.
2) મોહમ્મદ પયગંબર એક માત્ર એવા હતા જેમને પોતાના જીવન કાળ દરમિયાન ત્રણ મહાન કામ શક્ય બનાવ્યા
1. એક દેશ ની સ્થાપના : અરબ 
2. એક ગ્રંથ : કુરાન
3. એક સમુદાય ની સ્થાપના : ઇસ્લામ   

જે વાતો આપણે ભગવાન શ્રીકૃષ્ણ ના કે શ્રી રામ અને હનુમાન કે મહાદેવ કે કોઈ માતાજી ના ચમત્કાર વિષે સાંભળ્યું કે વાંચ્યું છે એવી જ વાતો મોહમ્મદ પયગંબર વિષે નથી સાંભળી. એ કાળ માં પોતાની જ સ્ત્રીઓ નો જુગાર ખેલાતો હતો. પોતાના જ બાળકો ને મારી નાખવા માં આવતા. કોઈ એક સમૂહ બીજા સમૂહ પર બેરેહમી થી આક્રમણ કરતા આવા સમયે માણસ ના વિચારો ને બદલવાનું મહત્વ નું અને મોટું કામ મોહમ્મદ પયગંબર સાહેબે કર્યું હતું કુરાન, ઇસ્લામ અને અરબ દેશ એમની જ ભેટ છે.

આપણે ક્યાં સુધી આવી વાતો ને સમજવાનો પ્રયત્ન નહિ કરી શકીએ? ફક્ત એક બીજા ના ધર્મ અને જીવનશૈલી ને જ દોષ આપવો આ આપણી સંસ્કૃતિ આપણને નથી સીખવાડતી. ફક્ત સમજવાનું એટલું જ કે હું માણસ છું ભગવાને મને કોઈ સારા કર્મ કરવા મોકલ્યો છે. "other is not other, other is my divine brother" લોહી તો લાલ જ બને છે ને તો હું ધર્મ ના નામે ભાગ પાડવા વાળો કોણ? પીકે, ઓ.એમ.જી, એમ.એસ.જી, અને બેબી જેવા મુવી ના આટલા સારા પ્રયત્ન(ઉદ્દેશ) ને સફળ કરવામાં સાથ આપવો અને આવા હેતુ ને પ્રત્યેક સુધી લઇ જવો એ જ મારી જવાબદારી કેમ કે.


હું માણસ છું.




લબૂક : -
"વૈજ્ઞાનિક કરતા બાબાઓ ફેમસ છે ભારત માં
કેમ કે માને છે બધા લોજીક ને બદલે મેજિક માં"

નોંધ: આ પોસ્ટ માં મારાથી કૈક ખોટું લખાઈ ગયું તો જણાવવા વિનંતી.

1 comment:

  1. https://thanganat.com is a commercial music streaming service providing free Gujarati music. Thanganat allow to play Old & New Gujarati mp3 Music Online through your mobile and website, Thanganat offer free unlimited access to thousands of Gujarati music.

    Thanganat is Gujarat’s largest music broadcasting service. Through mobile apps and websitewe can access unlimited your favorite music.

    You can enjoy unlimited access of Romantic Hits, Dhollywood (Gujarati Cinema), Garba, Sad Songs, Devotional, Bhajans, Ghazals, Kids Song, Dance, Artists Hits & much more!

    Visit Gujarati MP3 Song Site at https://thanganat.com/

    ReplyDelete