Friday, February 28, 2014

મહાશિવરાત્રી - 2014

બુધવારે સાંજે જોબ પર થી સીધો જ મારા મામા ના ઘરે ગયો (બોલાવ્યો હતો). મારા મામા રસોઈયા અને વહેપારી છે. અને તેમને પોતાની ચાર દુકાન છે. કિરાણા ની અને મીઠાઈ ની તથા ફરસાણ ની પણ. અને પાન પાર્લર. તો ઊંટરડા મહાદેવ નજીક દેવકરણ ના મુવાડા ગામ માં ત્યાં ની મહાશિવરાત્રી ની મજા માણવા ગયો હતો..

*સાંજે કુશલ , ચિરાગ , જીતું , માટે મન્ચ્યુંરીયન લઇ ગયો હતો તો બધા એ સુતી વખતે નાસ્તો કર્યો અને whatsapp માં માથું નાખતા-નાખતા સુઈ ગયા.

*ત્યાં જઈને સવારે ફ્રેશ થઈને પહેલા તો મહાદેવ ના મંદિરે ગયા (8.00AM).

*ત્યાં ભાંગ પીવાની ઈચ્છા હતી પણ ફક્ત બે ચમચી પ્રસાદ જ લીધી.

*પછી ઘરે આવીને પણ મહાદેવ ની પૂજા કરી (9.30AM).

*પૂજા ખતમ થયા પછી જમીને દુકાને ગયા (11.30AM).

*ત્યાં ચેવડો, ખજૂર, ખમણ, જલેબી, આ બધુ વેચ્યું. (મજાક-મસ્તી તો ચાલુ જ હતી).

*સાંજે હું અને જીતું ઘરે જવા નીકળ્યા (કડાદરા)(5.00PM)

*સાંજે સુતી વખતે પરિવાર સાથે શક્કરીયા ખાધા (10.00PM).

*થોડા દર્શન whatsapp વાળા શંકરજી ના પણ કર્યા પછી સુઈ ગયો.

*એકંદરે મહાશિવરાત્રી સારી ગઈ.



બસ આટલી નાની પોસ્ટ આ તો અમે પણ કર્યું હતું... એમાં શું નવું છે?
તો ના જ હોય ને, મને તો શ્રી-લંકા અને ઇન્ડિયા ની ક્રિકેટ મેચ ની વધારે એકસાઈટમેન્ટ હતી. તો હોય જ ને. કેમ કે હવે ની ભક્તિ પાંગળી થઇ ગઈ હોય એમ કહેવાય. મારા માટે ભક્તિ માં ભાવભક્તિ અને કૃતિભક્તિ નો સમન્વય હોય. અને ભક્તિ પાછળ નો સાચો અર્થ ખબર હોવો જરૂરી છે. (ફરજીયાત છે). આપણે કરેલી સામાન્ય ભક્તિ પાછળ નો સાચો અર્થ આપણને ખબર નથી હોતો. 
જેમ કે,
1. મંદિર માં પ્રથમ પગથીયે જ કેમ પગે લાગવું?
2. મંદિર માં બેલ કેમ વગાડવો? (કે બહારથી દર્શન કરનારા ચાલુ વાહને હોર્ન કેમ વગાડે છે?)
3. ગરબા ગોળ જ કેમ ગાવા?
4. માથે તિલક કેમ કરવો?
5. પ્રસાદ જમણા હાથે જ કેમ લેવો?
6...
7...
8...
9...
10...
કદાચ આના કારણે જ નવી પેઢી ને ભક્તિ કરતા શરમ આવે છે.

જય ભોલેનાથ.



No comments:

Post a Comment