Monday, February 10, 2014

ભ ભ્રષ્ટાચારનો ભ.....

મણા થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટ નેતા ઓ ની યાદી બનાવી. તો એના પર થી કૈક ભ્રષ્ટાચાર પર લખવાની ઈચ્છા થાય છે.

ભ્રષ્ટાચાર શબ્દ સંભળાતા જ દેશ ના નેતાઓ , રાજકારણીઓ યાદ આવે. યાર આવું ના ચાલે આપણું નામ ક્યારે આવશે? આપણે પણ ભ્રષ્ટાચાર કરવામાં ક્યાં પાછા પડીએ છીએ. (વિચારી લો)
બે સવાલ કરું જવાબ આપો તો..

1. લોકશાહી એટલે શું?
2. ભ્રષ્ટાચાર એટલે શું?

(જો આ બે સવાલના જવાબ વિસ્તાર માં આપો તો તમે કાંતો નેતા કાંતો કવિ.)

ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટ + આચાર.

આઝાદ થયા ને આટલા વર્ષ સુધી પણ લોકશાહી સાચા અર્થ માં પ્રસ્થાપિત નથી થઇ. આનું કારણ શું? ભ્રષ્ટ નેતા ઓ કે પછી આપણે?

 "who is responsible for such an rampant corruption and intense price rise?"

ચાલો બન્ને વિષે વિચારી લઈએ.

1. વોટ માંગી ને નોટ સંતાડનારા ભ્રષ્ટ નેતા ઓ પોતા ના ખિસ્સા ભરી ને એમ જ કહે કે અમે ભ્રષ્ટાચાર હટાવીશું. કૌભાંડ કરી ને સ્વીસ બેંક ભરનારા નેતાઓ. સામાન્ય જનતા ને ખોટે ખોટા આશ્વાશન  આપવા માટે લાખો  ના ખર્ચ કરીને સત્તા પર બેસવાવાળા આ નેતાઓ. કે જેને લાંચ રિશ્વત સિવાય કઈ દેખાતું જ નથી. "જે કરવું હોય તે કરો પણ આપણા 50 % રાખો" કહેવાવાળા આ નેતાઓ ભારત દેશ ને વિકાશશીલ  દેશ જ  કહેવડાવશે. વિકસીત દેશ માટે હજુ કેટલા જન્મો લાગી શકે? નેતા આવા કામ કરી ને ભ્રષ્ટાચાર ના ભાઈઓ (મોંઘવારી, ગરીબી, બેરોજગારી, બેઈમાની) ને પણ બળવાન બનાવે છે . આ  લોકો ફક્ત અન્ના ના અનસન થી જ ડરે છે?

2.  ભ્રષ્ટાચાર હટાવવાની શરુઆત પોતાના થી જ થવી જોઈએ કેમ કે જેટલા જવાબદાર આ નેતા ઓ છે એટલા જ જવાબદાર આપણે પણ છીએ. Removal of corruption from the beginning itself.
એક નાની સ્ટોરી કઉ.

                      "એક ગામમાં એક કુલ્ફી વાળો રોજ બાળકો ને કુલ્ફી આપીને રાજી કરતો. એનું ગુજરાન બાળકો પર ચાલતું અને બાળકો પણ એની જ રાહ જોતા. પણ અમુક સરારતી લોકો જયારે કુલ્ફી વાળા નું ધ્યાન ભટકતું ત્યારે એમાંથી કુલ્ફી કાઢી લેતા. આ વાત એને પણ ખબર હતી પણ એ રંગે હાથે નૈ પકડી શકતો હોવાથી એ ચુપ જ રહેતો. એક દિવસ એને કુલ્ફી ના ડબ્બા માં હાથ હતો તેને પકડી લીધો અને પછી જોર જોર થી એને વઢવા લાગ્યો. પણ આનો લાભ ઉઠાવી ને બીજા લોકોએ બીજી વધારે કુલ્ફી લઇ લીધી. આવું દરરોજ થતા એને ડર લાગ્યો કે એક દિવસ મારી બધી જ કુલ્ફી ચોરાઈ જશે આ વિચારી ને એણે પોતે જ જેટલી હાથ માં આવી એટલી લુંટી લીધી."

આવું આપણે કઈ જગ્યાએ કરીએ છીએ.

* મંદિર માં દર્શન માટે....
* શાળા-કોલેજીસ કે હોસ્પિટલ માં પ્રવેશ માટે...
* ટ્રેન માં રીઝર્વેસન માટે...
* રાસન કાર્ડ , લાઇસન્સ કે પાસપોર્ટ માટે...
* નોકરી માટે...
* રેડ લાઈટ પર ચલાન થી બચવા માટે...
* મુકદ્દમો જીતવા કે હારવા માટે...
* ખાવા માટે... પીવા માટે...

હદ તો ત્યાં છે કે ભ્રષ્ટાચાર પોતાના સંતાન ને શીખવીએ છીએ. " 99 % मार्क्स लाओगे तो घड़ी  वर्ना छड़ी".
અરે જો ભારત માંથી ભ્રષ્ટાચાર જાય ને તો તાલીબાન આતંકવાદ છોડવા ની સપથ લઇ લે.

No comments:

Post a Comment